News of Wednesday, 13th January 2021
આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં. ૭ માં પ્રચારના શ્રીગણેશ
મહાનગરપાલિકાની ચુંટણી અનુસંધાને વોર્ડ નં. ૭ ના આમ આદમી પાર્ટીના ઘોષિત ઉમેદવાર જોસનાબેન તથા પરેશ શીંગાળાએ સમર્થકોની બહોળી સંખ્યા સાથે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આપના પ્રમુખ રાજભા ઝાલા, પ્રદેશ સંગઠન સહપ્રભારી અજીત લોખીલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જનતાને દિલ્હી મોડેલ આધારીત સુવિધા અપાવવા સંકલ્પબધ્ધ થયા હતા. સહપ્રભારી કિશનભાઇ ભટ્ટ, પ્રમુખ જયદીપસિંહ કામલીયા, ઉપપ્રમુખ ઇમરાનભાઇ કામદાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:03 pm IST)