રાજકોટ
News of Wednesday, 13th January 2021

છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતા શિક્ષણ કચેરીના કલાર્ક શિવકુમારભાઇનું મોત

દોઢ સો ફૂટ રોડ હરીનગરમાં બનાવ : પ્રૌઢના મૃત્યુથી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩ : રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાછળ હરીનગરમાં આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રૌઢનું છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.  મળતી વિગત મુજબ રૈયા ટેલીફોન એકસચેન્જ પાછળ હરીનગરમાં આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા અને કરણસિંહજી હાઇસ્કુલમાં શિક્ષણ વિભાગની કચેરીમાં કલાર્ક શિવકુમારભાઇ અમૃતભાઇ રાઠોડ (ઉ.૫૮) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક શિવકુમારનો પુત્ર અમદાવાદ રહે છે અને પુત્રી પરણીત છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. સાજીદભાઇએ કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)