મનહરપુરમાં રીક્ષા પાર્ક કરવા બાબતનો ખાર રાખી થયેલ હૂમલામાં ઘાયલ ભૂપતનું મોતઃ હત્યામાં પલ્ટાયો: સાત આરોપીઓની ધરપકડ
જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મનહરપુર-૧માં રહેતાં રિક્ષાચાલક કોળી યુવાન ભૂપતભાઇ સોમાભાઇ જાખલીયા (ઉ.૩૬)ના ઘર પર સોમવારે મનહરપુરના જ આહિર જયદિપ વીભાભાઇ હુંબલ સહિત ૧૧ જણાએ તલવાર, ધોકા, છરીઓ, પાઇપ સહિતના હથીયારો સાથે ધસી જઇ આતંક મચાવી ભૂપતભાઇના બંને હાથ અને બંને પગ ભાંગી નાંખતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો. ત્યાં આજે વહેલી સવારે ચારેક વાગ્યે તેણે દમ તોડી દેતાંબનાવ હત્યામાં પરિણમ્યો છે. યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ, હત્યાની કોશિષનોસહિતનો ગુન્હો નોંધીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરતા સાત આરોપીઓનઈ ધરપકડ કરી છે
અત્રે સોમવારે સાંજે રિક્ષા પાર્ક કરવાની જૂની માથાકુટનો ખાર રાખી જયદિપ હુંબલ સહિત ૧૧ જણાએ સશસ્ત્ર હુમલો કર્યો હતો આ ટોળકીએ ધોકા-પાઇપ-તલવાર-છરીઓથી તૂટી પડી ભૂપતના હાથ-પગ ભાંગી નાંખ્યા'તા અને ઘર-રિક્ષામાં પણ તોડફોડ પણ કરી હતી ગંભીર ઇજા પામનાર યુવાન ભૂપતનું આજે સવારે ચાર વાગ્યે અમદાવાદમાં મોત નીપજ્યું હતું
ભૂપતભાઇની હત્યાથી જાખલીયા (કોળી) પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો ભૂપતભાઈની બે દિકરીઓએ પિતાની છત્રછાંયા ગૂમાવી હતી : યુનિવર્સિટી પોલીસે ભૂપત જાખેલીયાની ફરિયાદ પરથી જયદિપ હુંબલ, પ્રકાશ હુંબલ, વિભાભાઇ હુંબલ, જીતો હુંબલ, જીતાનો ભાઇ, અશ્વિન, આનંદ, અરશી, મેરૂ, ભરત અને એક ભરવાડ શખ્સ સામે રાયોટીંગ-હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો આરોપી પ્રકાશ હુંબલની ધરપકડ કરી હતી