News of Saturday, 13th November 2021
સરધારના નવાગામમાં જીવડું કરડી જતાં ભાવનાબેન સોલંકીનું મોત
રાજકોટ તા. ૧૩: સરધાર તાબેના નવાગામમાં રહેતાં ભાવનાબેન ભાવેશભાઇ સોલંકી (ઉ.૩૦)ને સાંજે વાડીએ હતાં ત્યારે જીવડુ કરડી જતાં ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્રી છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(3:15 pm IST)