ક્રાઈસ્ટ હોસ્પિટલમાં કાર્ડીનલ બિશપ જયોર્જ આલનચેરીની આર્શીવાદીત મુલાકાત
રાજકોટ : ક્રાઈસ્ટ હોસ્પિટલ માટે ખૂબ જ શુભ અને વિશેષ દિવસ બની છે. કેથોલીક સીરો મલબાર ધર્મ સભાના ધાર્મિક વડા અને ધર્મગુરૂ કાર્ડીનલ બિશપ જયોર્જ આલનચેરી ક્રાઈસ્ટ હોસ્પિટલની મુલાકાત લેવા માટે આવ્યા હતા. બિશપ જોસ ચિટ્ટુપરમબીલ અને બિશપ ગ્રેગરી પણ તેમની સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં હાજર તમામ સ્ટાફ, ડોકટો, નર્સો અને બીજા બધાને મળ્યા. તેમણે દર્દીઓ સાથે થોડો કિંમતી સમય પસાર કર્યો અને તેમને સ્વસ્થ અને સુખી જીવન માટે આર્શીવાદ આપ્યા. તેમણે કહ્યુ કે તેઓ હોસ્પિટલની પ્રગતિથી ખૂબ ખુશ છે. તેમણે જણાવ્યુ હતુ કે ક્રાઈસ્ટ હોસ્પિટલ સમાજ અને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે જે સેવા આપી રહ્યા છે તેનાથી તે ખરેખર પ્રભાવિત છે. તેમણે લોકોના કલ્યાણ માટે કાર્યરત રહેવા માટે હોસ્પિટલને વિશેષ આર્શીવાદ આપ્યા. ક્રાઈસ્ટ હોસ્પિટલના ડીરેકટર ફાધર જોમોન થોમ્મના કહે છે કે અમે ખૂબ ખુશ અને નસીબદાર છીએ કે તેમણે ક્રાઈસ્ટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓ કહે છે કે ક્રાઈસ્ટ હોસ્પિટલ હંમેશા તેમના સર્વોચ્ચ માર્ગદર્શન હેઠળ લોકોની સેવા કરશે.