કાલે ગાંધીગ્રામમાં મહાઆરતી- ભકિત સંગીત સંધ્યા- મહા પ્રસાદ
રઘુવંશી યુવા કલબ દ્વારા પ્રથમ વખત આયોજન
રાજકોટ,તા.૧૩: રઘવુંશી સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિ નિમિતે રઘુવંશી યુવા કલબ (ગાંધીગ્રામ) દ્વારા કાલે બુધવારે ગાંધીનગર-૧, સર્વેશ્વર ચોક, ગાંધીગ્રામ ખાતે સાંજે ૭ કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ વિજય અનડકટ પ્રસ્તુત ઉમંગ ઉત્સવ મ્યુઝિક ઓર્કેસ્ટ્રા દ્વારા ભકિત સંગીત સંધ્યા પણ યોજાએલ છે. આયોજનને સફળ બનાવવા રવિ માણેક, સચીન ચંદારાણા, ભાવેશ અઢીયા, મૌલિક ચંદારાણા, નિખીલ રાજાણી, વિશાલ સેજપાલ, નિશીત વડેરા, વિજય સવાણી, અભય સવજીયાણી, સુનિલ, ચંદારાણા, ધવલ કારિયા, ચંદ્રેશ રાચ્છ, નેમિશ માણેક, વિવેક અખાણી, દીપેન ઠકકર, પાર્થ ધામેચા, મીત્સુ ઠકકરાર, સ્મીત રાજવીર સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે મો.૯૦૩૩૧ ૫૧૧૧૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)