જયુબેલી શાક માર્કેટવાળા વોકળામાં ઉંચા પતરા લગાવવા વેપારીઓની માંગ
લોકો વોંકળામાં ગંદકી ઠાલવે છેઃ મેયરને રજુઆત
રાજકોટ તા.૧૩ : જયુબેલી શાકમાર્કેટ ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર વાળા વોંકળામાં ખુલ્લી જગ્યાઓમાં ઉંચા પતરા લગાડવા આસપાસના વેપારીઓ ત્થા લતાવાસીઓએ માંગણી ઉડાવી આ બાબતે મેયરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે જયુબેલી શાકમાર્કેટ સામે ગુમાનસિંહજી શોપિંગ સેન્ટર અને મમતા મેડીકલે સ્ટોરની વયે આવેલ વોકળામાં લોકો ગંદકી કચરો વોકળામાં ન ખાતે તે માટે વોકળાની રોડ ઉપર આવેલ દિવાલ ઉપર લાંબા પતરાઓ નાખવામાં આવે અને ગુમાનસિંહજી માર્કેટ બાજુ મોટી દીવાલ બનાવામાં આવે તો લોકો વોકળાની અંદર કચરો ન નાખી શકે તેવું આયોજન કરવું જોઇએ.
કેમ કે બકાલાવાળાઓ, મટન માર્કેટ વાળા, મચ્છી માર્કેટવાળા અને અન્ય લોકો રોજ એટલો બધો કચરો નાખી થાય છે. કે ગંદગીનો પાર નથી ગંદકીના થર જામી ગયા છે અને એટલી બધી દુર્ગંધ આવે છે. કે આજુબાજુ દુકાનદારો અને આજુબાજુના રહેઠાણના મકાનમાં રહી શકતા નથી અને રોગચાળો ફાટી નીકળે તેમ છે લોકોની હાલત કફોડી જાય છે. ત્યારે તાકીદે વોકળાના રોડ ઉપર આવેલ દિવાલ ઉપર લાંબા પતરાઓ અને ગુમાનસિંહજી માર્કેટ બાજુ મોટી દીવાલ બનાવવા આવે તે માટે યોગ્ય કરવા આ વિસ્તારના લોકોની માંગણી છે.