રાજકોટ
News of Sunday, 13th October 2019

દેવપરા, નીલકંઠ સોસાયટી, મેહુલનગર અને વિવેકાનંદનગર સહિત વિસ્તારોના આગેવાનો - રહીશોનો લોકદરબાર યોજાયો

લોકોની રજૂઆતો સાંભળી નિરાકરણ લાવવા અને તકેદારી બાબતે એ.સી.પી પુર્વ એચ.એલ.રાઠોડ એ સૂચના આપી

રાજકોટ : એ.સી.પી પુર્વ  એચ એલ રાઠોડની અધ્યક્ષતામાં દેવપરા નીલકંઠ સોસાયટી મેહુલ નગર વિવેકાનંદ નગર વિગેરે વિસ્તારોના આગેવાનો તથા રહીશોનો લોક દરબાર રાખવામાં આવેલ હતો અને પોલીસને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલ હતી વિસ્તારના લોકોની રજૂઆતો સાંભળી નિરાકરણ લાવા માટે તજવીજ કરવામાં આવેલ તેમજ આગામી દિવાળી ના તહેવાર નિમિત્તે લોકોએ રાખવાની તકેદારી આ બાબતે પણ એસીપી પૂર્વ  એચ એલ રાઠોડ એ  જરૂરી સૂચનાઓ આપેલ હતી

  આ લોક દરબારમાં આગેવાનો સુરેશ ભાઈ વસોયા ઝીણાભાઈ ચાવડા કંચનબેન સિદ્ધપરા ભરતભાઈ કુબાવત વિનુભાઈ ઠુંમર પવુભા ખાચર ચાંદની બેન ગોંડલીયા અર્જુનભાઈ ડવ નારણભાઈ ડાંગર રજાકભાઈ જુણેજા વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

(5:44 pm IST)