News of Sunday, 13th October 2019
ચુનારાવાડમાં ઉદ્યોગનગરમાં બીમારી સબબ ગોપાલભાઇનુ મોત
રાજકોટ : ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૯ મા રહેતા ગોપાલભાઇ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.પ૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારીના કારણે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતુ. આ અંગે થોરાળા પોલીસ મથકના એએસઆઇ જે.કે. જાડેજાએ કાર્યવાહી કરી હતી.
(2:18 pm IST)