News of Thursday, 13th September 2018
અમીન માર્ગ નજીક 12 હજારથી વધુ શ્રાવકોનું સામુહિક પ્રતિક્રમણ
નમ્રમુનિ મહારાજની આગેવાનીમાં સામૂહિક પ્રતિક્રમણ કર્યું: 5 સતીજીઓના સાંનિધ્યમાંનવો ઇતિહાસ રચાયો
રાજકોટ :શહેરના અમીન માર્ગ નજીક જૈન સમાજ દ્વારા ડુંગર દરબાર ખાતે સૌ પ્રથમ વખત 12000 થી વધુ જૈન સમાજના ભાઈઓ-બહેનોએ સામૂહિક પ્રતિક્રમણ કરાયું હતું જૈન સમાજના લોકોએ 75 સતીજીઓના સાંનિધ્યમાં કરેલા આ સામૂહિક પ્રતિક્રમણ દ્વારા એક્તા નવો ઇતિહાસ રચાયો છે. આ ઘટનાની વર્લ્ડ રેકોર્ડની વિવિધ બુકોમાં એન્ટ્રી પણ કરવામાં આવશે.
સંવત્સરીના પવિત્ર દિવસે નમ્રમુનિ મહારાજની આગેવાનીમાં કરવામાં આવેલા આ પ્રતિક્રમણમાં જૈન ઉપરાંત અન્ય સમાજના ભાઈઓ-બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. 12000 ભાવિકોએ એકીસાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું.
(11:03 pm IST)