રાજકોટ
News of Thursday, 13th September 2018

અમીન માર્ગ નજીક 12 હજારથી વધુ શ્રાવકોનું સામુહિક પ્રતિક્રમણ

નમ્રમુનિ મહારાજની આગેવાનીમાં સામૂહિક પ્રતિક્રમણ કર્યું: 5 સતીજીઓના સાંનિધ્યમાંનવો ઇતિહાસ રચાયો

 

રાજકોટ :શહેરના અમીન માર્ગ નજીક જૈન સમાજ દ્વારા ડુંગર દરબાર ખાતે સૌ પ્રથમ વખત 12000 થી વધુ જૈન સમાજના ભાઈઓ-બહેનોએ સામૂહિક પ્રતિક્રમણ કરાયું હતું  જૈન સમાજના લોકોએ 75 સતીજીઓના સાંનિધ્યમાં કરેલા સામૂહિક પ્રતિક્રમણ દ્વારા એક્તા નવો ઇતિહાસ રચાયો છે. ઘટનાની વર્લ્ડ રેકોર્ડની વિવિધ બુકોમાં એન્ટ્રી પણ કરવામાં આવશે

 સંવત્સરીના પવિત્ર દિવસે નમ્રમુનિ મહારાજની આગેવાનીમાં કરવામાં આવેલા પ્રતિક્રમણમાં જૈન ઉપરાંત અન્ય સમાજના ભાઈઓ-બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. 12000 ભાવિકોએ એકીસાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું.

(11:03 pm IST)