રાજકોટ
News of Thursday, 13th September 2018

પાઠક વિદ્યામંદિરમાં વાલી સંમેલન

 રાજકોટઃ તાજેતરમાં શ્રીમતિ એસ.કે.પાઠક વિદ્યામંદિર ઇન્દ્રપ્રસ્થનગર-૧ માં આવેલ શાળાના તમામ વિદ્યાર્થીઓનું વાલી સંમેલન યોજાયું સંમેલનમાં બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત હતા. સંમેલનમાં શાળાના વિચારો દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય તે માટે વાલી-શિક્ષકો તથા શાળાના સહકારથી વિદ્યાર્થી શ્રેષ્ઠ કેવી રીતે બની શકે? વગેરે વિષયો પર સંવાદ થયો હતો જેમાં વાલીઓએ સહકાર આપ્યો હતો. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ ભરતભાઇ રામાનુજ તથા શાળાના ટ્રસ્ટી અતુલભાઇ બલદેવ ખાસ ઉપસ્થિત રહ્યા શાળાના આચાર્ય શ્રીમતિ કલ્પનાબેન જોષી ભરતભાઇ રામાનુજ તથા બલદેવસરે આ તકે વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ અર્પણ કર્યા. તથા આશાબેન પંડિત તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનોજભાઇ રૂપારેલીયા તથા દીપકભાઇ જોષીએ કર્યુ હતું.(૨૩.૯)

(4:18 pm IST)