રાજકોટ
News of Thursday, 13th September 2018

કણકોટ મહાકાલ મહાદેવ મંદિરે ૧૧ અભિષેકની પૂજા સંપન્ન

 શહેરની ભાગોળે ન્યારી ડેમ પાસે આવેલ કણકોટ ગામે આવેલ મહાકાલ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસના રોજ રાત્રે ૧૧ જેટલા અભિષેક અને ૧૦૦૮ નામ સ્મરણ કરાયુ હતુ તે પ્રસંગની તસ્વીરમાં શિવભકતો હિરેનભાઈ ટાંક, તુષારભાઈ પટેલ, લાલાભાઈ તથા નિલેષભાઈ ઉનડકટ વગેરે શિવલીંગની પૂજા કરી રહેલા દર્શાય છે. આ તકે લીલા નાળિયેર, શેરડીનો રસ, પંચામૃત, કઠોળ સહિતનો અભિષેક કરાયો હતો (૨-૧૭)

(4:10 pm IST)