News of Wednesday, 12th September 2018
સર્વેશ્વર ચોકમાં સાડા અગીયાર ફુટની મૂર્તી બીરાજશેઃ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો
રાજકોટઃ ગણપતિદાદાની ભકિતમાં ઓળઘોળ બનવા સર્વેશ્ચર ચોકમાં કાલે સાડા અગીયાર ફુટ ઉંચી ગણપતીદાદાની ભવ્ય મુર્તીનું સ્થાપન કરાશે. રાજકોટમાં પ્રથમ વખત ગણપતીના બ્રેક ગ્રાઉન્ડમાં એલઇડીમાં મેપીંગ, લોકડાયરા, હસાયરા, સંગીત સંધ્યા, શ્રી નાથજીની ઝાંખી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે. સુંદર બેનમુન રોશની કરાઇ છે. તમામ વૃધ્ધાશ્રમનાં વૃધ્ધો માટે બસની વ્યવસ્થા કરી દર્શનનો લાભ તેમજ ભોજન પ્રસાદની અલાયદી વ્યવસ્થા કરાશે. કેતનભાઇ સાપરીયા, દિલીપસિંહ જાડેજા, સમીર દોશી જીણુભા, અલાઉદીનભાઇ, અનીલભાઇ, હીતેશભાઇ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૮)
(4:04 pm IST)