માનસીક બિમારીથી કંટાળી અરૂણાબેન ટાંકનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
રાજકોટ તા.૧૨: કોઠારીયા રોડ રાધેશ્યામ સોસાયટીમાં માનસીક બિમારીથી કંટાળી કડીયા મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી વિગત મુજબ કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ પાછળ રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૨માં રહેતા અરૂણાબેન યશવંતભાઇ ટાંક (ઉ.વ.૪૮) એ માનસીક બિમારીથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતા તેના પુત્રધ્રુવ ટાંક સહિતના પરિવારજનોએ તેને અર્ધબેભાન હાલતમાં સારવારમાટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.આ અંગે આજીડેમ પોલીસે તપાથ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં ગોંડલ આશાપુરામાતાના મંદિર પાસે રહેતા શશીકાંતભાઇ કાંતીલાલભાઇ વિઠ્ઠલપરા (ઉ.વ.૬૩) એ બિમારીથી કંટાળી રાજકોટ રેસકોર્ષમાં ગેલેકસી સિનેમા સામે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.(૧.૨૬)