રાજકોટ
News of Wednesday, 12th September 2018

માસ ફાયનાન્સના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૧રઃ રૂ. ૩પ,ર૬૩ નો ચેક રિટર્ન થવા અંગેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપી જીવનભાઇ સીતાપરાને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે માસ ફાયનાન્સ સર્વિસ લી. આ કામના ત્હોમતદારને લોન આપેલ હતી તે પેટે બાકી નીકળતા રૂ. ૩પ,ર૬૩/- પુરાનો કેસ આ કામકના ત્હોમતદાર જીવનભાઇ વસ્તાભાઇ સીતાપરા પર દાખલ છકરેલ હતો.

આ કેસ ચાલી જતા માસ ફાયનાન્સ સર્વિસ લી. કાયદેસરનું લેણું સાબિત ન કરી શકતા આ કામના ત્હોમતદારને કોર્ટે નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે. ત્હોમતદાર તરફે ધારાશાસ્ત્રી મકવાણા, હિતેશ ધીરજલાલ, એફ.એસ.ખોરજીયા, ડી. ડી. બથવાર, રવિરાજ પરમાર રોકાયેલ હતા.

(3:59 pm IST)