News of Wednesday, 12th September 2018
'મામાના ઘરે જાવ છું' કહી ઘરેથી નીકળેલી ૧૭ વર્ષની સગીરા ગુમઃ અપહરણનો ગુનો
રાજકોટ તા.૧ર : માર્કેટીંગ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતા બાવાજી આધેડની સગીર વયની પુત્રી મામાના ઘરે જવાનું કહી નીકળ્યા બાદ પરત ન આવતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ માર્કેટયાર્ડ પાછળ મંછાનગરમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગઇકાલે 'મામાના ઘરે જાવ છું' કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પિતા સહિતના પરિવારજનોએ તપાસ કરતા તેનો કોઇ પતો ન લાગતા તેના પિતા રાજેશભાઇ દુધરેજીયાએ બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ વિજયસિંહ ઝાલા તથા રાઇટર અશ્વીનભાઇએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.(૬.૧૦)
(12:17 pm IST)