વસંતભાઈનો ખોવાયેલો કિંમતી ફોન મળી ગયોઃ ટ્રાફિક શાખાના જવાનોની પ્રામાણિકતા
રાજકોટઃ કાગદડીના પૂર્વ સરપંચ સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા હરિભકત શ્રી વસંતભાઈ લીંબાસિયાને ખોવાયેલો અત્યંત કિંમતી મોબાઈલ ફોન પરત મેળવવામાં ટ્રાફિક પોલીસ શાખાના ફરજ પરના જવાનોની નિષ્ઠા અને પ્રામાણિકતાનો સુખદ અનુભવ થયો છે. વસંતભાઈએ જણાવ્યા મુજબ પોતે પોતાના કુટુંબીજનો ગોરધનભાઈ અને કુરજીભાઈ સાથે બહાર જઈ રહ્યા હતા. ભૂલથી ગાડી પર રહી ગયેલો એન્ડરોઈડ મોબાઈલ ફોન કાલાવડ રોડ પર જડુસ હોટલવાળા ચોકમાં પડી ગયેલ. ફોન પડી ગયાની લાંબા સમય પછી જાણ થતા અમે અમારા નંબર પર ફોન કરેલ. તે વખતે ત્યાંના ફરજ પરના ટ્રાફિક શાખાના કર્મચારીએ ફોન પોતાને મળ્યાનું જણાવી રૂબરૂ બોલાવેલ. કોન્સ્ટેબલ વિપુલ ખાંભરા તથા ટ્રાફિક વોર્ડન મુદિત વેકરિયા અને મનોજ સોલંકીએ ખરાઈ કરીને નિસ્વાર્થ ભાવે ફોન પરત કર્યો હતો. ત્રણેયની પ્રામાણિકતા અભિનંદનને પાત્ર અને શહેર પોલીસ તંત્રનું ગૌરવ વધારનારી છે.