પર્યુષણ પર્વ નિમીતે કતલખાના બંધ રખાવવા મ્યુ. કમિશ્નરને આવેદન
રાજકોટ તા ૧૩ : પર્યુષણ પર્વ પ્રસંગે કતલખાના બંધ રખાવવા તથા તેનું કડક અમલીકરણ કરાવવા એનીમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા મ્યુ કમિશ્નરશ્રીને આવેદન પાઠવ્યું છે.નામદાર સુપ્રિમ કોર્ટના હિંસા વિરોધક સંઘ વિ. મીરઝાપુર મોટી કુરેશ કસબ જમીત ૨૦૦૮ (૫) એસ.સી.સ.-૩૩, ૨૦૦૮ (ર) જીએલએચ ૩૦૪ માં આપવામાં આવેલ જજમેન્ટ અનુસાર જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ પર્વ પ્રસંગે કતલખાના બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
જે અંતર્ગત શ્વેતાંબર જૈન સંપ્રદાય (તા.૨૬.૦૮.૨૦૧૯ થી તા.૦૨.૦૯. ૨૦૧૯), સ્થાનકવાસી સંપ્રદાય (તા.૨૭/૦૮/૨૦૧૯ થી તા.૦૩/૦૯/૨૦૧૯) અને દિગંબર જૈન સંપ્રદાય (તા.૦૩/૦૯/૨૦૧૯ થી તા.૧૩/૦૯/૨૦૧૯) એટલે કે, સમગ્રપણે તા. ૨૬/૦૮/૨૦૧૯ થી તા. ૧૩/૦૯/૨૦૧૯ સુધી પર્યુષણ નિમીતે રાજયના તમામ કતલખાના બંધ રાખવા સમયસર જરૂરી આદેશ પ્રસિધ્ધ કરવા અને તેનું કડક અમલીકરણ કરાવવા સરકારને આવેદન એનીમલ વેલફેર ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પંકજભાઇ બુચ દ્વારા અપાયું છે.