રાજકોટ
News of Monday, 13th July 2020

બાર કાઉન્સીલ દ્વારા ધારાશાસ્ત્રીઓને રૂ.૧પ લાખની સહાય ચૂકવવાનો નિર્ણય

રાજકોટ, તા. ૧૩ : બાર કાઉન્સિલ ઓફ ગુુજરાત દ્વારા સને ૧૯૯રથી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મૃત્યુસહાય તેમજ માંદગી સહાય સમિતિ દ્વારા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાય સમિતિના ચેરમેનશ્રી દિલીપ કે. પટેલ, સભ્ય શ્રી અનિલ સી. કેલ્લા અને શ્રી કિશોરકુમાર આર. ત્રિવેદીની આજરોજ મીટીંગ મળેલ. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાની માંદગીસહાય સમિતિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોમાંથી આવેલ કોરોના માંદગી સહિતની માંદગી સહાયની અરજીઓ હાથ પર લેવામાં આવેલ અને જેમાં ૮૧ જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે કુલ રૂપિયા પંદર લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ. તેમજ ૧પ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં પણ ધારાશાસ્ત્રીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવેલ.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુસહાયનું ફંડ અને માંદગીસહાયનું ફંડની ખાસ અલગ જોગવાઇ કરવામાં આવેલ છે જેમાં મૃત્યુસહાયના ફંડમાં વેલ્ફેર ફંડ, મેમ્બરશીપ ફી, રીન્યુઅલ ફી તેમજ વેલ્ફેર ફંડની ટીકીટ દ્વારા ભંડોળ એકઠું કરવામાં આવે છે. જયારે માંદગીસહાય કુલ-૪૦ હેઠળની ફી માત્ર એકવાર લેવામાં આવે છે અને જેમાં જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને વ્યવસાય દરમિયાન મહત્તમ ત્રણ વાર માંદગીસહાય આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છેક ે વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીઓને જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાની માંદગીસહાયનો લાભ મેળવવા હકકદાર બને છે તેમજ ગુજરાતના ધારાશાસ્ત્રીઓને વધુમાં વધુ રૂ. ૯૦,૦૦૦ સુધીની માંદગીસહાય આપવામાં આવે છે તેમજ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીના વારસદારોને રૂ.૩,પ૦,૦૦૦ ચૂકવવામાં આવે છે. તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા સાડા ત્રણ કરોડ જેટલી માંદગી સહાય ધારાશાસ્ત્રીઓને ચૂકવવામાં આવેલ છે. 

(2:53 pm IST)