એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડિયા ભારત સરકારના હોનોરી સ્ટેટ એનિમલ વેલ્ફર ઓફીસર તરીકે મયુર ઠક્કર નિમાયા
રાજકોટ, તા. ૧૩ : એનિમલ વેલ્ફર બોર્ડ દિલ્હી ખાતે મળેલ મિટિંગ માં ચેરમેન શ્રી ઓ.પી. ચૌધરી અને સેકટરી શ્રીમતિ નીલમ બાલા જી દ્વારા એનિમલ વેલ્ફર બોર્ડના ગુજરાત સ્ટેટ હોનોરી એનિમલ વેલ્ફર ઓફિસર તરીકે શ્રી મયુરભાઈ ઠક્કરની નિયુકિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શ્રી મયુર ઠક્કર ગૌરક્ષા દળ ગુજરાતના અધ્યક્ષ અને ભારત રક્ષા મંચ પ્રાંતના અધ્યક્ષ પદે સેવા આપી રહેલ છે તેઓનું ગૌસેવા અને જીવદયા શ્રેષ્ઠ કાર્ય જોઈ ને ગૌ સેવા અયોગ્ય ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગૌ રક્ષક એવોર્ડ આપી સન્માનિત કરેલ અને તત્કાલીન પર્યાવરણ મંત્રી અને હાલ ભારત સરકાર આરોગ્ય મંત્રી શ્રી ડો હર્ષવર્ધનના હસ્તે તેઓનું નેશનલ એનિમલ વેલ્ફર એવોર્ડ ૨૦૧૭ ( પર્યાવરણ ભારતી) થી સન્માનિત કરવામાં આવેલ.
શ્રી મયુર ઠક્કર (મો.૯૯૭૮૨ ૮૧૦૦૦)ની નિયુકિત થતા સમગ્ર ગુજરાત ગૌ સેવકો આનંદની લાગણી છવાઈ હતી અને તેઓને અભિનંદનવર્ષા થઈ રહી છે