રાજકોટ
News of Friday, 13th July 2018

શાળાએ જવા માટે નીકળેલી ધો.૯ની છાત્રા ગુમઃ અપહરણનો ગુનો

રાજકોટ તા.૧૩: જામનગર રોડ પોલીસ હેડકવાર્ટર વિસ્તારમાં રહેતી અને ધોરણ-૯માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની છાત્રા સ્કુલ જવા માટે નિકળ્યા બાદ લાપતા બનતા પ્રનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ આદરી છે. મળતી વિગત મુજબ જામનગર રોડ પોલીસ હેડકવાર્ટરમાં રહેતી અને મારૂતીનગરમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર સ્કુલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની છાત્રા તા.૧૧/૭ના રોજ બપોરે પોતાની સાયકલ લઇને સ્કુલને જવા માટે નિકળી હતી. છાત્રા સાંજ સુધી પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ કરતા પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પ્રનગર પોલીસ મથકમાં જાણ કરતા પીઆઇ કાતરીયા તથા રાઇટર સંજયભાઇ તથા વીરભદ્રસિંહ સગીરાના પિતા કનૈયાલાલ હરીદાસભાઇ દેસાણી (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી અજાણ્યો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:13 pm IST)