વચગાળાના જામીન પર છુટ્યા બાદ ભાગતો ફરતો હત્યાના ગુનાનો કેદી સલિમશા પકડાયો
પેરોલ ફરલો સ્કવોડે રૈયા રોડ પરથી પકડી જેલ હવાલે કર્યો
રાજકોટઃ શહેર તાલુકા પોલીસ મથકના હત્યાના ગુનમાં સામેલ સલિમશા સતારશા સૈયદ (રહે. હાલ સ્વામિના ગઢડા) રાજકોટ જેલકાં કાચા કામના કેદી તરીકે હોઇ તે ૧૧/૬ના રોજ સાત દિવસ માટે ના વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરીથી જેલમાં હાજર ન થયો હોઇ તે રાજકોટ રૈયા રોડ પર હોવાની બાતમી પેરોલ ફરલો સ્કવોડના કોન્સ. મો.અઝહરૂદ્દીન બુખારીને મળતાં પીએસઆઇ બી. કે. ખાચર, દિગુભા જાડેજા, બાદલભાઇ દવે, બકુલભાઇ વાઘેલા, મધુકાંત સોલંકી, મયુરસિંહ રાણા, ધીરેનભાઇ ગઢવી, કિશોરદાન, જયદેવસિંહ પરમાર, ચંદ્રકાંતભાઇ ગોંડલીયા સહિતનાએ તેને પકડી લઇ જેલમાં મોકલી આપ્યો છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ ફરાર કેદીઓને શોધવા માટે આપેલી સુચના અંતર્ગત કાર્યવાહી થઇ હતી.