News of Thursday, 13th June 2019
રાજકોટ ST વિભાગ દ્વારા અનેક રૂટ બંધ કરવા નિર્ણય
રાજકોટ-વેરાવળના 10 રૂટ,રાજકોટ-દિવના 8 રૂટ રદ્દ: . રાજકોટ-ભુજના 18 રૂટ રદ્દ: પોરબંદર તરફ જતી બસોને ડેપો પર હોલ્ડ કરવા સૂચના
રાજકોટમાં વાયુ વાવાઝોડાના પગલે ST વિભાગનો નિર્ણય લેવાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પસાર થતા તમામ રૂટ રદ્દ કરાયા છે. રાજકોટ-વેરાવળના 10 રૂટ,રાજકોટ-દિવના 8 રૂટ રદ્દ કરાયા છે. રાજકોટ-ભુજના 18 રૂટ રદ્દ કરાયા છે. રૂટ રદ્દ થતા મુસાફરોને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર તરફ જતી બસોને ડેપો પર હોલ્ડ કરવા સૂચના અપાઇ છે
(10:30 pm IST)