News of Thursday, 13th June 2019
સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ
સ્વ. ખીમજીભાઇ ગાંગજીભાઇ વઘેરા, હસ્તે મંજુલાબેન ખીમજીભાઇ વઘેરા, ચંદ્રકાંત વઘેરા, કાંધલ, ધ્રુવરાજ તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખનાં મોતિયા વિહિન કરવાનાં અશ્વમેઘ સંકલ્પ પૈકી ૩૧મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૩૦૧ દર્દીએ ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા ટીંપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા.
(3:37 pm IST)