રાજકોટ
News of Wednesday, 12th June 2019

વાવાઝોડામાં મદદ માટે કોર્પોરેટર કશ્યપ શુકલનુ કાર્યાલય સતત ધમધમતુ રહેશે

રાજકોટ,તા.૧૨: અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્ર તરફ આવી રહેલ વાયુ વાવાઝોડાના ખતરા સામે તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવેલ હોય અને સમગ્ર ગુજરાતમાં એક નંબર અને બે નંબરનું સિગ્નલ આપવામાં આવેલ હોય તે અનુસંધાને વોર્ડ નં.૭નાં કોર્પોરેટર કશ્યપ શુકલ દ્વારા સરદાર નગર ખાતે આવેલ કાર્યાલયમાં કંટ્રોલ રૂમ ખોલવામાં આવેલ છે અને કંટ્રોલ રૂમમાં ભીલવાસ, રામનાથ પરા, ગવલીવાડ,સરદાર નગર સહિતનાં વિસ્તારવાસીઓને આપતીસ્થિતીમાં (મો.નં - ૯૮૨૪૩ ૦૦૯૯૯) પર સંપર્ક કરવા કોર્પોરેટરે અનુરોધ કર્યો છે.

(3:50 pm IST)