રાજકોટ
News of Wednesday, 12th June 2019

ગણેશનગરના રૂક્ષમણીબેન બારોટને ભત્રીજા-ભત્રીજાવહૂ સહિતે માર માર્યો

માતાને ઘરમાંથી કાઢી મુકયા હોઇ સમજાવવા જતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૨: મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતાં રૂક્ષમણીબેન અનિલભાઇ સોલંકી (ઉ.૪૦) નામના બારોટ મહિલાને મોરબી રોડ ગાંધી વસાહતમાં રહેતાં તેના ભાઇના દિકરા ભત્રીજા જનક કાનજીભાઇ, કમલેશ કાનજીભાઇ અને ભત્રીજાવહૂ રંજનબેન જનક સહિતનાએ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

રૂક્ષમણીબેનના અમદાવાદ રહેતાં બહેન શોભનાબેન ચેતનભાઇએ ટેલિફોનીક વાતચીતમાં કહ્યું હતું કે અમારા માતા રંભાબેનને ભત્રીજાઓએ ઘરમાંથી કાઢી મુકયા છે. આ બાબતે ભત્રીજાઓને સમજાવવા જતાં હુમલો થયો હતો.

(3:35 pm IST)