લગ્નમાં જાડેરી જોડજો જાન, એસ.ટી. સસ્તા દરે મળશે : ભંડેરી-ભારદ્વાજ
રૂપાણી સરકારના નિર્ણયને વધાવતા મિરાણી-માંકડ-કોઠારી-રાઠોડ
રાજકોટ તા. ૧૩ : લગ્ન અવસરે જાન જોડવા એસ.ટી.બસ સસ્તા દરે મળે તેવી વ્યવસ્થા કરી ભાજપ સરકારે સંવેદનશીલ નિર્ણય જાહેર કર્યો હોવાની ખુશી ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે એક યાદીમાં વ્યકત કરી છે.
રાજયની એસ.ટી. નિગમ સરળ, સલામત અને કિફાયતી દામમાં બસ સેવા પુરી પાડશે. ૯૮ ટકા ગામો, ૯૮ ટકા પ્રજાને સાંકળીને એસ.ટી. નિગમ રપ લાખ કિ.મી. થી વધુનુ સંચાલન કરી લોકોને જોડતી કડી બન્યુ છે. ઇન હાઉસ બસ બોડી બિલ્ડીંગથી ગુજરાત એસ.ટી.એ દેશને નવો રાહ ચીંધ્યો હોવાનું શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે જણાવ્યુ છે.
ર૦ કિ.મી. સુધી આવવા જવા રૂ.૧૨૦૦ અને ૪૦ કિ.મી. સુધી રૂ.૨૦૦૦ તેમજ ૬૦ કિ.મી. સુધીના પ્રવાસ માટે રૂ.૩૦૦૦ ની નિયત કરાયેલ મર્યાદા લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેમ જણાવી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે પણ રૂપાણી સરકારના નિર્ણયને વધાવી શુભેચ્છા પાઠવી છે.(૧૬.૩)