News of Wednesday, 13th June 2018
સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં ૨૬૧ દર્દીઓને નવી દ્રષ્ટિ
રાજકોટઃ સ્વ.જમનાદાસ ધીરજલાલ કતિરાનાં સ્મરણાર્થે, શ્રીજયાગૌરી જમનાદાસ કતિરા, ભાવેશભાઈ જમનાદાસ કતિરા, નરેન્દ્રભાઈ જમનાદાસ કતિરા, દેવયાનીબેન કૌશિકકુમાર ગોટેચા, ભાવનાબેન સંજયભાઈ અનડા અને કતિરા પરિવાર રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સયુંકત ઉપક્રમે આયોજીત ૩૪મા શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં ૨૬૧ દર્દીઓને નેત્રમણી બેસાડવામાં આવ્યા હતા.
(3:46 pm IST)