LIC રાજકોટ દ્વારા ૧૭ મીથી વિનામૂલ્યે યોગ શિબિરઃ લોકોને ભાગ લેવા અનુરોધ કરાયો
૨૧મી જુને વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરાશેઃ ૨૦ જુન સુધી શિબિર ચાલશે
રાજકોટ તા.૧૩: જીવન વીમા સંસ્થા 'એલઆઇસી ઓફ ઈન્ડિયા' દ્વારા સોૈરાષ્ટ્ર મેડીકલ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (લાઇફ) ના સહયોગથી આગામી તા. ૧૭ મીથી તા. ૨૦ જુન સુધી રોજ સવારે ૭ થી ૮ એક કલાક એલઆઇસીના મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આવેલ કચેરીના પ્રાંગણમાં યોગ શિબિરનુ઼ આયોજન કરવામાં આવેલ છે.
શહેરીજનોને બહોળી સંખ્યામાં લાભ લેવા આમંત્રણ અપાયું છે. આ શિબિર નિઃશુલ્ક છે. તેમાં 'લાઇફ' ના યોગના જાણકાર પ્રશિક્ષકો શિબિરાર્થીઓ સમક્ષ વિવિધ યોગ કસરતનું નિદર્શન કરીને યોગ શિખડાવશે તથા યોગ વિષે માર્ગદર્શન આપશે.
તા. ૧૭ મીથી ચાર દિવસ સુધી ચાલનારી શિબિરના સમાપન બાદ તા. ૨૧ મી જુને વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરાશે. યોગના આ તમામ કાર્યક્રમોમાં એલઆઇસી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ, કર્મચારીઓ, વિકાસ અધિકારીઓ, એજન્ટો તેમના પરિવારના સભ્યો ઉપરાંત કોઇપણ શહરેજનો ભાગ લઇ શકે છે તેમ યાદીમાં જણાવાયું છે. (૧.૧૫)