રાજકોટ
News of Wednesday, 13th June 2018

પુજારાપ્લોટમાં લુહાર શ્વેતાબેન પરમારનું ઉલ્ટી થયા બાદ મોત

રાજકોટ તા. ૧૩: પુજારા પ્લોટ-૯માં રહેતાં શ્વેતાબેન જયેશભાઇ પરમાર (ઉ.૨૭) નામના લુહાર યુવતિને સાંજે ઘરે ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતર અને ધીરેનભાઇ ગઢવીએ ભકિતનગર પોલીસમાં જાણ કરી હતી. મૃતકને પહેલેથી શારીરિક તકલીફ હતી. તેણીના પિતા હયાત નથી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ગોંડલ રોડ પુલ પાસે ઉલ્ટી થયા બાદ રાજેશ ડાવરનું મોત

ગોંડલ રોડ પર પુલ નીચે મયુર ભજીયાવાળાની બાજુમાં ઝૂપડામાં રહેતાં રાજેશ દેવાભાઇ ડાવર (ઉ.૨૫)ને ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતાં મોત નિપજ્યુ઼ હતું. માલવીયાનગરના એએસઆઇ એચ. એમ. મણવર અને હરેન્દ્રસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

રૈયાધારમાં પ્રકાશ રાઠોડ ધાબા પરથી પટકાયો

રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતો પ્રકાશ છગનભાઇ રાઠોડ (ઉ.૨૧) સાંજે ધાબા પરથી પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ગાંધી સોસાયટીના સાગરે થિનર પીધું

સંત કબીર રોડ પર ગાંધી સોસાયટીમાં રહેતો સાગર કાંતિભાઇ ચોૈહાણ (ઉ.૧૮) નામનો માળી યુવાન સાંજે થીનર પી જતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

(12:12 pm IST)