News of Friday, 13th May 2022
ભવ્ય ભવન અને મહાવીર હોલની રવિવારે ભૂમિપૂજન વિધિ
જૈન બોર્ડિંગના પ્રાંગણે ધીરગુરૂદેવના સાંનિધ્યે
રાજકોટ તા.૧૩: શહેરની મધ્યમાં શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવનના ઉપક્રમે પૂ.શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી ૧૧૩ ર્વર્ષ જુની બોર્ડિંગના નવનિર્માણ શિલારોપણ વિધિ સંપન્ન થયા બાદ સમાજના અગ્રણીઓની ભાવના હતી કે બોર્ડિંગના પ્રાંગણની જગ્યામાં ભવન અને સમાજોપયોગી હોલનું નિર્માણ અનેકને ઉપયોગી બની રહેશે.
જૈન બોર્ડિંગના પાછળના પ્રાંગણમાં રાજકોટ નિવાસી ડો. ચમનલાલ જે. દેસાઇ-ભવન અને સુશીલાબેન ઇન્દુભાઇ બદાણી-મહાવીર હોલની ભૂમિપૂજન વિધિ તા.૧૫ને રવિવારે સવારે ૭-૩૧ થી ૮-૩૧ કલાકે ચંદ્રવદનભાઇ દેસાઇ (કલકત્તા) અને ઇન્દુભાઇ બદાણીના હસ્તે યોજાયેલ છે.
(1:24 pm IST)