રાજકોટ
News of Thursday, 13th May 2021

ચુનારાવાડમાં અશોક જેતાણી સંચાલીત જુગારધામ પર દરોડોઃ ૪ શખ્સો પકડાયા

થોરાળા પોલીસનો દરોડોઃ ૧૯ હજારની રોકડ સહિતની મતા કબ્જેઃ જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઇ

રાજકોટ તા.૧૩ : ચુનારાવાડમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૪ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ચુનારાવાડ શેરી નં.પમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસ મથકના પી.આઇ.એમ.વી. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસઆઇ. જી.એસ.ગઢવી તથા રમેશભાઇ સહિતે ચૂનારાવાડ શેરી નં. પ માં રહેતા અશોક બિજલભાઇ જેતાણીના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલિક અશોક જેતાણી તથા ચુનારાવાડ શેરી નં. ૪ ના પ્રવિણ ઘોઘાભાઇ રોજાસરા, ચુનારાવાડ શેરી નં.૭ ના સંજય નરશીભાઇ માલકીયા અને બેડીપરા શ્રમજીવી સોસાયટીના સાગર મોહનભાઇ સોલંકીને પકડી લઇ રૂ.૧૯ર૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરી હતી.

(3:23 pm IST)