રાજકોટમાં ઔદ્યોગિક એકમો શરૂ કરવા રાજકોટ ચેમ્બરની માંગણીનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સ્વીકાર
રાજકોટ, તા.૧૩ : હાલ વિશ્વભરમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે. આ મુશ્કેલીનો સામનો કરવા કેન્દ્ર તથા રાજય સરકાર તેમજ વિવિધ વિભાગો દ્વારા મહામહેનત કરી રહી છે અને પ્રજાની સુખાકારી અને સલામતી માટે સરકારશ્રી દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે તે સરાહનીય છે.
રાજકોટમાં હજારો નાના-મોટા ઔદ્યોગિક એકમો સ્થપાયેલ છે જે હાલ કોરોના કહેરને કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. ઔદ્યોગિક એકમોને આર્થિક રીતે ઉજાગર કરવા માટેની રાજકોટ ચેમ્બરની માંગણીને ધ્યાનમાં રાખી ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરના ઔદ્યોગિક એકમોને ફરી શરૂ કરવા જાહેરાત કરેલ તેનાથી ઉદ્યોગકારો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. રાજકોટ ચેમ્બર તે બદલ મુખ્યમંત્રીશ્રીનો સહૃદયથી આભાર માને છે. રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.