ગાંધી મ્યુઝિયમમાં 'નમક થી નમક' નાટકનો શો યોજાયોઃ ૧ હજારથી વધુ મુલાકાતીઓએ નિહાળ્યુ
રાજકોટ : મ્યુ. કોર્પોરેશન સંચાલીત મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે 'નમક થી નમક' નાટ્યપ્રયોગનું આયોજન કરાયું હતુ. 'નમકથી નમક સુધી' નાટકમાં મીઠાના સત્યાગ્રહ માટે બાપુને દક્ષિણ આફ્રીકાની લડતથી શરૂ કરીને ભારતમાં આગમન અને અહીંની લડતના પ્રસંગોને પણ આવરી લેવામાં આવ્યા હતા. જેમાં જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઇ પટેલ, કસ્તુર બા, શેખ અબ્દુલ્લા, સરોજીની નાયડુ જેવા વિવિધ પાત્રો સાથે બાપુના સંવાદોની ચોટદાર રજૂઆત કરવામાં આવ્યા હતા. ગાંધી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત અને દાંડી સુધીની યાત્રાનું નિરૂપણ દાંડીકૂચ સમયના બાપુના ભાષણોની સુંદર રજૂઆત થશે. લગભગ ૫૦ મિનિટના આ નાટ્યપ્રયોગમાં સુંદર સંગીતમય રજૂઆત કરવામાં આવી હતી. નાટકમાં કલાકારો હર્ષ કાવિઠીયા, રિતેશ સાવંત, મૌલિક વૈદ્ય, વિજય મેર, જયરાજ જાડેજા, રૂહીન ઘોરી, ગાંધીજીની ભૂમિકામાં રાજેશ ભટ્ટ વગેરે અભિનયન કર્યો હતો. આ નાટક ૧ હજારથી વધુ મુલાકાતીઓએ નિહાળ્યુ હતુ.