રાજકોટ
News of Monday, 13th May 2019

જાણી જોયને કોંગ્રેસની સારી સ્થિતીને બગાડતા શામ પિત્રોડાને પક્ષમાંથી ત્વરીત સસ્પેન્ડ કરો

રાજકોટના પરકીન રાજા દ્વારા રાહુલ ગાંધીને વિસ્તૃત પત્ર : પિત્રોડા મોદીના અંડર કવર એજન્ટ હોવાની પણ શંકા વ્યકત કરી

 રાજકોટ તા. ૧૩ : 'દંગા હુઆ તો કયા હુઆ હૈ?' જેવુ નિવેદન પત્રકારો સમક્ષ કરનાર શામ પિત્રોડા જાણી જોઇને કોંગ્રેસની સારી સ્થિતી બગાડવા પ્રયાસ કરી રહ્યાનો સણસણતો આક્ષેપ કરી રાજકોટના એડવોકેટ અને કોંગ્રેસ અગ્રણી પરકીન રાજાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને વિસ્તૃત પત્ર પાઠવ્યો છે.

ચુંટણીના જયારે બે તબકકા બાકી હોય અને દિલ્હી તથા પંજાબમાં મતદાન થવાનું હોય તેવા સમયે શ્રી પિત્રોડાનું આવુ નિવેદન શું સુચવે છે? અંદરખાને મોદી સાથે તેમની મીલીભગત હોવાનું સ્પષ્ટ થઇ રહ્યુ છે. અન્ડર કવર એન્જટનું કામ કરતા શામ પિત્રોડાને ત્વરીત ધોરણે પક્ષમાંથી સસ્પેન્ડ કરવા પરકીન રાજાએ પત્રમાં માંગણી ઉઠાવી છે.

તેમણે જણાવેલ છે કે કોંગ્રેસમાં સતાવાર પ્રવકતાઓ છે જ. ઉદાહરણ તરીકે રણદીપ સુરજેવાલ સરસ કામગીર કરી રહ્યા છે. ત્યારે પિત્રોડાને આવી ભુમિકા ભજવવામાં રસ કેમ ? પુલવામાં એટક સમયે પણ આ મહાશય સ્વયંભુ પ્રવકતા બની મીડીયાની સામે આવી ગયા હતા.

ચુંટણીના સંવેદનશીલ સમયે આ રીતે પક્ષને નુકશાન પહોંચાડવા નિકળેલા શામ પિત્રોડા ઇન્ડીયન ઓવરસીઝ કોંગ્રેસ નામે ડીંડક ચલાવે છે. તે એઆઇસીસી માન્ય નથી.

જે રીતે મણીશંકર ઐયરને સસ્પેન્ડ કરાયા તેમ આ મહાશયને પણ હાર્ડ ટ્રીટમેન્ટ અપાય તેવી માંગણી ડો. પરકીન રાજા (મો.૯૮૨૪૨ ૧૫૨૧૪) એ પત્રના અંતમાં ઉઠાવી છે.

(3:26 pm IST)