રાજકોટ
News of Tuesday, 13th April 2021

રાજકોટની સમરસ હોસ્ટેલમાં ૧૦૦૦ ઓકિસજન બેડના નિર્માણ માટે યુધ્ધના ધોરણે વહીવટી તંત્રની તૈયારીઓ

રોજ ૧૦૦ બેડ તૈયાર થાય છે: હાલ ૫૮૨ ઓકિસજન બેડનું સેટઅપ કાર્યરત: તમામ દર્દીઓ માટે શુધ્ધ અને સાત્વિક ગુણવતાયુકત ભોજન અને નાસ્તાની સેન્ટ્રલી વ્યવસ્થા છે- ડે. કલેકટર ચરણસિંહ ગોહિલ: કલેકટર રેમ્યા મોહન દ્વારા સમગ્ર જિલ્લામાં કોરાનાના વધતા દર્દીઓની સારવારની વ્યવસ્થા માટે સતત માર્ગદર્શન- તબીબો- હોસ્પિટલ તંત્ર સારવારમાં પુરો સમય આપી શકે તે માટે મેનેજમેન્ટ વ્યવસ્થામાં રેવન્યુ અધિકારીઓ ખડે પગે સેવામાં

રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યા સામે દર્દીઓની સારવાર માટે ઓકસીજનયુકત બેડની સંખ્યા વધારવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્રએ યુધ્ધના ધોરણે ચાલું રાખી છે. રાજકોટની સમરસ હોસ્ટેલના બ્લોકની માળખાગત વ્યવસ્થાઓનો ઉપયોગ કરી  તમામ બીલ્ડીંગોમાં ઓકસીજન પહોચાડવાની પડકારજનક કામગીરી તંત્રની રાત દિવસની મહેનતના અંતે પૂર્ણ થવામાં છે.  સમરસમાં બે ચાર દિવસોમાં ૧૦૦૦ ઓકસીજન વાળા બેડ તૈયાર થશે.  હાલ ૫૮૨ બેડનું સેટઅપ તૈયાર થયું છે .હાલ ૪૮૨ દર્દીઓ સારવાર હેઠળ છે. નવા દર્દીને તાત્કાલીક સારવાર મળી જાય છે. રાજકોટના લોકોએ ગભરાવવાની જરૂર નથી. દર્દીઓ માટે મેડીકલ સુવીધા વધારવા વરીષ્ઠ અધિકારીઓની ટીમ સરકારના સંપર્ક રહીને કામકરી રહી છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ અને સમરસમાં નોડલ અધિક કલેકટરશ્રી મેહુલ દવેની દેખરેખ હેઠળ  થઇ રહેલી કામગીરીની વિગતો આપતા ડે .કલકેટર ચરણસિંહ ગોહિલે  જણાવ્યું હતું કે સમરસમાં ૧૦૦૦ ઓકસીજનયુકત  બેડ કોરોનાના દર્દીઓ માટે તૈયાર થઇ રહી છે.  રોજ ૧૦૦ બેડ તૈયાર થાય એ રીતે સમરસમાં  રાત દિન કામગીરી  ચાલી રહી છે. ૫૮૨ બેડનું સેટઅપ તૈયાર થઇ ગયુ છે. ૪૮૦ દર્દીઓ સારવાર મેળવી રહયા છે. દર્દીઓની સંખ્યા વધી છે. છતા વ્યવસ્થામાં કોઇ કમી નથી .તમામ દાખલ થતા દર્દીઓને વેલકમ કિટ  આપવામાં આવે છે.  દર્દીઓને શુધ્ધ અને સાત્વીક ભોજન અને નાસ્તો દિવસમાં ૪ વખત આપવામાં આવે છે. સમરસમાં આ માટે સેન્ટ્રલી રસોડું પુરી સ્વછતા સાથે બનાવવામાં આવ્યું છે. દર્દીઓની  સારવાર માટે દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં  ઉપલ્બ્ધ છે. રેમડેસિવીર ઇનજેકશન પણ  પુરતા પ્રમાણમાં ઉપલ્બ્ધ છે. દર્દીના સગાઓને દર્દી વિશેની માહિતી મળી જાય  તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ કામગીરીમાં ડે.કલેકટર ગોહિલ ઉપરાંત ડે.કલેકટર દેશાઇ અને મામલતદાર  કથીરીયા સહિતના અધિકારીઓ સેવા આપી રહયા છે.

(8:28 pm IST)