રાજકોટ
News of Tuesday, 13th April 2021

જંગલેશ્વરના બેઠા પુલ પાસે આજી નદીમાંની ગાંડીવેલ દુર કરો

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૬માં આવેલ સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનાં જંગલેશ્વરના બેઠા પુલ પાસેથી આજી નદીની ગાંડીવેલ કઢાવીને બાંધકામ વેસ્ટેજ મલ્ટીરીયલ તથા કચરા ગંદકી ઉપડાવી આજી નદીની અંદર ખોદકામ કરાવીને ઉંડી ઉતરાવી વરસાદના પાણીનો નિકાલ કરાવવા સહિતના વિવિધ પ્રશ્નો સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

(3:51 pm IST)