રાજકોટ
News of Tuesday, 13th April 2021

સામાન્ય સભામાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત રાખો

મહામારીમાંથી બેઠા થયેલા અર્જુન ખાટરિયાનો પ્રમુખ-ડી. ડી. ઓ.ને પત્ર : પ્રમુખ ભૂપત બોદર કહે છે સભ્યો સહિત સૌ ટેસ્ટ કરાવીને આવે તેવી અપીલ છે, સ્થળ પર ગાઇડ લાઇન મુજબ વ્યવસ્થા

રાજકોટ તા. ૧૩ :.. જિલ્લા પંચાયતના કોંગીના સભ્ય અર્જુન ખાટરીયાએ તા. ૧૬ મીની સામાન્ય સભામાં ભાગ લેનારા સભ્યો, અધિકારીઓ, સહિત સૌ માટે કોરોનાનો એન્ટીજન ટેસ્ટ ફરજીયાત રાખવા અંગે ટેસ્ટ માટે સ્થળ પર જ વ્યવસ્થા રાખવાની વિનંતી કરતાં પત્ર પ્રમુખ અને ડી. ડી. ઓ. ને પાઠવ્યો છે. હાલની સ્થિતિમાં સંક્રમણ વધવાની સંભાવના ટાળવા તેમણે આ ભલામણ કરી છે.

દરમિયાન આ બાબતે પંચાયત પ્રમુખ ભૂપત બોદરને પૂછતા તેમણે જણાવેલ કે સભ્યો સહિત સૌ કોરોના ટેસ્ટ કરાવીને આવે તેવી અપીલ છે. સ્થળ પર કોરાનોની ગાઇડ લાઇનના પાલન માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મહામારી સામે સમજણ અને સહીયારા પુરૂષાર્થથી લડત કરીએ તે ઇચ્છનીય છે.

(3:49 pm IST)