રાજકોટ
News of Tuesday, 13th April 2021

પેલેસ રોડ આશાપુરા મંદિરે ચૈત્રી નવરાત્રી પૂજન : દર્શનાર્થીઓને ભીડ ન કરવા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ

રાજકોટ : પેલેસ રોડ પર આવેલ માઁ આશાપુરા માતાજી મંદિર ખાતે આજથી ચૈત્ર નવરાત્રીની પૂજા - અર્ચનાનો પ્રારંભ થયો છે જે તસ્વીરમાં દર્શાય છે. વર્તમાન કોરોના સંક્રમણ વધે નહી તે માટે દરેક માઇ ભકતોએ ભીડ નહી કરવા અને સોશ્યલ ડીસ્ટન્શ, સેનીટાઇઝ કરવા માસ્ક પહેરવા સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવા જાહેર અપીલ કરાઇ છે. આ તકે વિનોદભાઇ પોપટ સહિતના કાર્યકરો વ્યવસ્થા માટે સહયોગી થઇ રહ્યા છે.

(3:00 pm IST)