રાજકોટ
News of Tuesday, 13th April 2021

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ : પેલેસરોડ આશાપુરા માતાજીના મંદિરે પૂજા અર્ચના

યા દેવી સર્વભૂતેષુ, શકિતરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

રાજકોટ : આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા માતાજીના ભકતોના હૈયા હરખાઇ ઉઠયા છે. ઘટ સ્થાપન સાથે નવ દિવસ સુધી પૂજા અર્ચના કરી 'મા' ને કાલાવાલા કરાશે. જો કે હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિ ધ્યાને લઇ લોકોની ભીડ ન થાય તે માટે મેળાવડાના કાર્યક્રમો બંધ રખાયા છે. સરકારની ગાઇડ લાઇનને અનુસરી નિયમ પાલન સાથે કેટલાક મંદિરોમાં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. તસ્વીરમાં પેલેસ રોડ પર આવેલ રાજકોટનું સુપ્રસિધ્ધ શ્રી આશાપુરા માતાજીનું મંદિર જોવા મળેે છે. જયાં માતાજીને કરાયેલ દેદિપ્યમાન શોભા તેમજ દર્શનનો લાભ લઇ ધન્ય થતા ભાવિક ભકતો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:00 pm IST)