રાજકોટ
News of Tuesday, 13th April 2021

સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં વધુ પાંચના મોત

રાજકોટ, તા.૧૩: શહેરના જુદા-જુદા વિસ્તારમાં બીમારી સબબ બેભાન થયા બાદ બે મહિલા સહિત પાંચ વ્યકિતના સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયા હતા.

કુવાડવા રોડ ચામુ઼ડા સોસાયટીમાં રહેતા ભાવનાબેન કિશોરભાઇ જુડીયા (ઉ.વ.૩૫) પોતાના ઘરે હતા. ત્યારે બીમારી સબબ બેભાન હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. ત્યારે બીજા બનાવમાં મોરબી રોડ રોહીદાસપરા શેરી નં.૧૧માં રહેતા વિક્રમસિંહ બાબુભાઇ પરમાર (ઉ.વ.૪૩) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

જયારે ત્રીજા કુવાડવા રોડ શ્રીનાથજી પાર્ક શેરી નં.૨માં રહેતા વીનુભાઇ વિરજીભાઇ લીંબાસીયા (ઉ.વ.૫૫) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ડાયાબીટીસ તથા  બ્લડપ્રેશરની બીમારી સબબ તબીયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ અંગે બી ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

બીમારી સબબ લક્ષ્મીબેનનું મોત

મવડી ચોકડી પાસે વિનાયકનગર શેરી નં. ૧૫માં રહેતા લક્ષ્મીેબન શિતલપ્રસાદભાઇ ભારદ્વાજ (ઉ.વ.૩૮) પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ અશ્વીનભાઇ કાનગડે કાર્યવાહી કરી હતી.

બીમારી સબબ પ્રોઢનું મોત

કોઠારિયા રોડ માધવ હોલ પાછળ ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં.૨માં રહેતા ભરતભાઇ બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.૫૫) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ અંગે ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(2:58 pm IST)