રાજકોટ
News of Tuesday, 13th April 2021

કાલે હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી

શહેર ભાજપ દ્વારા

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબાર યાદીમાં જણાવાયું છે કે હાલ દેશમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિ હોય કેન્દ્ર સરકાર અને રાજય સરકારના આદેશોનુસાર સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવુ અતિ આવશ્યક હોય તેને ધ્યાનમાં રાખીને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.૧૪ને બુધવારના રોજ સવારે ૯:૩૦ કલાકે શહેરના સીવીલ હોસ્પિટલ ચોક ખાતે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે.

ત્યારબાદ શહેરના તમામ બુથમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવીને ડો.બાબાસાહેબ આંબેડકરજીની પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા અનુરોધ કરાયો છે.

(2:56 pm IST)