News of Tuesday, 13th April 2021
કોરોનાની ચેઈન તોડવા ૨થી ૩ અઠવાડીયા લોકડાઉન એક માત્ર વિકલ્પ : ડો.પ્રફુલ કમાણી
રાજકોટ ઈન્ડિયન મેડીકલ એસો.ના પ્રમુખ અને સૌરાષ્ટ્રના નામાંકિત ડેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો.પ્રફુલ કમાણીએ (વોકહાર્ટ હોસ્પિટલ) જણાવ્યુ છે કે કોરોનાની ચેઈન તોડવા માટે લોકડાઉન અનિવાર્ય છે : કોરોનાની ચેઈન તોડવા માટે ૧૪ દિવસની જરૂર પડે છે : આ ચેઈન તોડવા માટે બે થી ત્રણ અઠવાડીયાનું લોકડાઉન એ એકમાત્ર વિકલ્પ છે : ડો.કમાણીએ કહેલ કે ૩૦ થી ૫૦ વર્ષની વયના લોકોમાં અત્યારે સૌથી વધુ કેસ આવી રહ્યા છે
(1:14 pm IST)