રાજકોટ
News of Tuesday, 13th March 2018

બેંક ઓફ ઈન્ડિયાની પંચનાથ શાખામાં બહેનોનો કાર્યક્રમ

 રાજકોટ : બેંક ઓફ ઈન્ડિયા પંચનાથ શાખામાં અનોખી રીતે મહિલાઓને પ્રોત્સાહિત કરતા ઉજવણી કરવામાં આવેલ. શાખાના ચીફ મેનેજર શ્રી અજય કુમાર શ્રીવાસ્તવ તેમજ સમગ્ર સ્ટાફ મેમ્બરોની મીટીંગ રાખવામાં આવેલી. શાખા મહિલા ગ્રાહકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સ્ત્રી શકિતકરણના સંકલ્પને આગળ વધારવા કટીબદ્ધ થયા. કાર્યક્રમનું સંચાલન સહાયક પ્રબંધક શ્રીમતી માધુરી સરવૈયાએ કરેલ. શાખા મુખ્ય પ્રબંધક શ્રી વાસ્તવે વકતવ્ય આપેલ. મહિલા ગ્રાહક મિત્રોના મંતવ્ય પણ લીધા. કાર્યક્રમને અંતે વિજેતા મહિલા ગ્રાહકોને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી ચૌહાણ તેમજ પંચનાથ શાખાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ.

(4:09 pm IST)