રાજકોટ
News of Tuesday, 13th March 2018

રાજકોટથી રતનપર સુધી પદયાત્રા : સીયારામ મંડળીનું સફળ આયોજન

રાજકોટ : સીયારામ મંડળી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ધુળેટી પર્વે રાજકોટથી રતનપર રામ ચરિત માનસ મંદિર સુધી શ્રમ, આરોગ્ય, શિક્ષણ અને ભાયચારાનો સંદેશો પ્રસરાવતી પદયાત્રા યોજવામાં આવી હતી. ૭૦ વર્ષની જૈફવયે શ્રી મનહરલાલજી મહારાજ સ્વયં ચાલીને આ પદયાત્રા કરતા તે પરંપરા જાળવી રાખી સીયારામ મંડળી દ્વારા દર વર્ષે આ રીતે પદયાત્રા કરી રતનપર જઇ ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવામાં આવે છે.આ વર્ષે  પણ યોજવામાં આવેલ પદયાત્રામાં ૧૦૮ ધજા સાથે વિદ્યાર્થી અને ભાવિકો મળી ૩૨૫ લોકો જોડાયા હતા. દરેક પદયાત્રીઓને સુરક્ષા સેતુ સોસાયટી, આલ્ફા જવાહર નવોદય કલાસ જસદણના સંસ્થાપક જયસુખભાઇ સંખાળવા, હરીશભાઇ નથવાણીના સહયોગથી સ્મૃતિ ભેટ અપાઇ હતી. માર્ગમાં પદયાત્રાનું ઠેરઠેર ભાવભીનું સ્વાગત કરવામાં આવેલ. ગૌરીદળમાં શ્રી હરીચરણદાસજી મહારાજે પદયાત્રીઓ સાથે સમય ફાળવી રોકાણ કરેલ. તેમ સીયારામ મંડળીની યાદીમાં જણાવાયુ છે.

(3:54 pm IST)