પૂ. ધીરગુરૂદેવ પ્રેરિત
સમુહ વરસીતપના ર૦૦ તપસ્વીઓના અતરવારણાનું આયોજન
રાજકોટ, તા. ૧૩ : જૈનાષાર્ય પૂ. શ્રી જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દી ઉપલક્ષે પૂ. શ્રી ધીરગુરૂદેવની પ્રેરણાથી સમુહ વરસીતપ આરાધનામાં રાજકોટમાં ર૦૦ જેટલા તપસ્વીઓ જોડાયા છે.
જેઓના પ્રતિ મહિને સંઘ-દાતાઓના સૌજન્યથી સમુહ અતરવારણા યોજાઇ રહેલ છે. જેમાં શ્રી સ્થા. જૈન મોટા સંઘ, શ્રી ભકિતનગર સંઘ હ. ડો. ચંદ્રા અને ડો. મહેન્દ્ર વારીઆ, ડો. ભરતભાઇ મહેતા પરિવાર પ્રેરિત મહાવીરનગર સંઘમાં અને રંજના જયંત કામદાર પ્રેરિત વૈશાલીનગર સંઘ દ્વારા સંપન્ન થયેલ.
પંચમ મણકામાં શ્રી જંકશન પ્લોટ સંઘ પ્રેરિત શ્રીમતી અરૂણાબેન વિનોદરાય ઉદાણી હ. પુષ્પાબેન વાડીલાલ બાવીસી તરફથી તા. ૧૮ને રવિવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે તપસ્વીઓના જાપ પ્રયાગ-સી, ફલેટ નંબર સી/ર, બીજા માળે રાખેલ છે.
જાપ બાદ ૧૧-૩૦ કલાકે અતરવારણા સોસાયટીના હોલમાં યોજાશે. દરેક તપસ્વીઓએ પોતાનો ઓળખપત્ર સાથે રાખવો જરૂરી છે. વધુ વિગત માટે કન્વીનર જયશ્રીબેન શાહ (૯૯૭૯ર ૩ર૩પ૭) નો સંપર્ક કરવા વરસીતપ સમિતિની યાદીમાં જણાવાયું છે. (૯.૧ર)