ડો. સૈયદના સાહેબ અમદાવાદમાં રેલ્વે સ્ટેશને ભવ્ય સ્વાગત
ઉર્ષ મુબારકમાં હાજરી, કાલે વાઅઝ ફરમાવશે : દાઉદી સમાજ ઉમટ્યો
રાજકોટ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો. સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) આજે સવારે ૮:૪૫ કલાકે ઈન્દોર ગાંધીનગર એકસપ્રેસ ટ્રેન દ્વારા અમદાવાદ ગયા હતા. રેલ્વે સ્ટેશને ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) અમદાવાદમાં કુત્બી મથરમાં ગયા હતા તથા હારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ - બહેનો - બાળકોને દીદારનું શરફ આપેલ હતું. આજે રાત્રે સૈયદના કુત્બુદ્દીન શહીદ (રી.અ.)ના ઉર્ષ મુબારકની મજલીસમાં જશે. આવતીકાલે ઉર્ષ મુબારકના દિવસે વાઅઝ ફરમાવશે. જેમાં વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના લોકો અમદાવાદ હજારોની સંખ્યામાં આવેલ છે. સૌરાષ્ટ્રના ગામેગામથી સંખ્યાબંધ સ્પે. બસ દ્વારા દાઉદી વ્હોરા સમાજ ઉર્ષ મુબારક પ્રસંગે અમદાવાદ આવે છે તેમ અમદાવાદથી શેખ યુસુફઅલી જોહર કાર્ડ્સવાળાએ જણાવ્યુ હતું.