રાજકોટ
News of Tuesday, 13th March 2018

ધ્રોલના પત્રકાર હસમુખભાઇ કંસારાના યુવાન પુત્ર રોહીતને લતીપુર પાસે અકસ્માતઃરાજકોટની સીનર્જી હોસ્પીટલમાં સારવારઃ ભયમુકત

રાજકોટ, તા., ૧૩: જામનગર જીલ્લાના ધ્રોલના અકિલાના પત્રકાર હસમુખભાઇ કંસારાના યુવાન પુત્રને લતીપુર પાસે અકસ્માત નડતા રાજકોટ સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહીતી મુજબ ધ્રોલના અકિલાના પત્રકાર હસમુખભાઇ કંસારાના પુત્ર રોહીતભાઇને આજે લતીપુર પેટ્રોલ પંપ પાસે અકસ્માત નડતા પ્રથમ ધ્રોલ સારવાર   આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં  ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલ સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ-અત્યાધુનિક સીનર્જી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડેલ છે.  માથામાં ઇજા થઇ છે જો કે રોહીતભાઇ ભયમુકત હોવાનું જાણવા મળે છે.

(11:28 am IST)