News of Tuesday, 13th February 2018
આશીર્વાદ સ્કૂલ દ્વારા ''કલરવની દુનિયા'' વાર્ષિકત્સવ
રાજકોટઃ શ્રીઆર્શીવાદ સ્કુલ દ્વારા ''કલરવની દુનિયા ૨૦૧૮'' નામનો કાર્યક્રમ રજુ કરાયો. જેમાં વોર્ડનં.૩નાં કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા દિપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવેલ. ઈનામો ગાયત્રીબા વાઘેલા, પ્રિન્સીપાલ વિરેન્દ્રભાઇ પટેલ તથા ટ્રસ્ટી વિપુલભાઈ આલાવાડીયાએ આપેલ હતા.
(4:10 pm IST)