મેરેથોનમાં રજીસ્ટ્રેશનનો કાલે છેલ્લો દિ': દોડવા પદાધિકારીઓની અપીલ
રાજકોટઃ મહાનગરપાલિકા, રાજકોટ શહેર પોલીસ અને આવકવેરા કચેરીના સંયુકત ઉપક્રમે તા.૧૮ ફેબ્રુઆરી રવિવારના રોજ ''રાજકોટ મેરેથોન યોજાનાર છે. જે અંતર્ગત મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ આજરોજ રાજકોટ વાસીઓને અપીલ કરતા જળાવ્યુ હતુ કે, અમે દોડવાના છીએ, તમે પણ તમારી તંદુરસ્તી માટે અને શહેરના વિકાસ માટે દોડજો. વધુમાં તેઓએ અપીલ કરતા જણાવ્યુ હતુ કે, ૧૮ તારીખે કોઇ પણ રાજકોટ વાસી ઘેરસુતો ન રહે અને વહેલી સવારના ૫ વાગે રેસકોર્ષ મેદાન પર પહોંચી જાય. રાજકોટ મેરેથોન ૨૦૧૮ માટે અત્યાર સુધીમં ૬૦,૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશન થયેલ છે. આવતી કાલે તા.૧૪ ફેબ્રુઆરી ૧૮ના રોજ રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસેછે ત્યારે વધુને શહેરીજનોને મેરેથોનમાં જોડાવવા પદાધિકારીઓએ અપિલ કરી છે.